Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જામનગર : પ્રેમીકાને ભૂલી જવાનું કહી આપતા યુવકે ગળેફાંસો ખાધો

જામનગર તા. ૧૯ : ધરારનગર લાલપુરમાં રહેતા રાણાભાઈ બોદુભાઈ નોતીયાર ઉ.વ. પપ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી ફરીયાદીના દિકરા દિલાવરને અલ્પા નામની છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જેથી વિપુલ શાંતીભાઈ ઘેટીયા, મયુર ગડારા રહે. લાલપુરવાળાઓએ દિલાવરને કહેલ કે તું અલ્પાને ભુલી જા નહીતર તને અને તારા ઘરના સભ્યોને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા દિલાવરને લાગી આવતા આરોપીઓના નામો તથા ધમકી સંબંધીત સુસાઈટ નોટ લખી પોતાના ઘરે ચુંદડી વડે છતની હુંકમાં ગળેફાંસો ખાઈ મરણ ગયેલ છે.

શંકરટેકરીના યુવકે ટ્રેન હડફેટે આવી આપઘાત

અહીં નહેરૂનગર શેરી નં. ૮ એ ની સામે રહેતા મહેન્દ્ર જેઠાભાઈ ખીમસુરીયા ઉ.વ. ર૭ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ૧૮ ના રોજ તેમનો રર વર્ષીય  ભાઈ મનોજ જેઠાભાઈ ખીમસુરીયાએ અંધાશ્રમ આવાસ ફાટક પાસે રેલ્વે પાટા પર કોઈપણ કારણોસર ટ્રેનમાં આપઘાત કરતા શરીર કપાઈ જતા મરણ ગયેલ છે.

 

 

(3:46 pm IST)