Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

જૂનાગઢ : જામજોધપુરમાં શ્રીવિશ્વકર્મા જયંતિ મહોત્સવ

જૂનાગઢ : જામજોધપુર મુકામે શ્રી સમસ્ત લુહાર જ્ઞાતિ મંડળ દ્વારા આયોજીત શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ એવં સરસ્વતી સન્માન સમારોહમાં આશીર્વાદ પાઠવ્યા હતા અને તાજેતરમાં કાશ્મીરમાં શહિદ થયેલા સેનાના વીર જવાનોને ભાવાંજલી અર્પણ કરાઇ હતી. પૂજય જેન્તીરામ બાપા સતપુરણધામ આશ્રમ ઘુનડા અગ્રગણ્ય મહાનુભાવો જ્ઞાતિ અગ્રણીઓ, સંતપ્રેમી કિશોરભાઇ રાઠોડ (અખીલ ભારતીય વિશ્વકર્મા પરિષદ મહામંત્રી), સંતપ્રેમી જીતુભાઇ વાછાણી (પૂર્વ કોર્પો.ન.પા.જામજોધપુર), સંતપ્રેમી કૌશિકભાઇ રાબડીયા (ન.પા.શિક્ષણ સમિતિ પ્રમુખ જામજોધપુર), સંતપ્રેમી પી.એમ.જાની સાહેબ (પ્રમુખ સમસ્ત બ્રહ્મસમાજ જામજોધપુર), સંતપ્રેમી દિપાબેન ભટાસણા (રોટરી કલબ પ્રેસીડન્ટ જામજોધપુર), સંતપ્રેમી મગનભાઇ કવૈયા (પ્રમુખ લુહારજ્ઞાતિ મંડળ જામજોધપુર), સંતપ્રેમી નરેન્દ્રભાઇ કવૈયા (પ્રમુખ લુહારજ્ઞાતિ મંડળ જામજોધપુર), સંતપ્રેમી ભવ્યેશભાઇ કવૈયા (પ્રમુખ લુહારજ્ઞાતિ મંડળ જામજોધપુર), સંતપ્રેમી દિપકભાઇ પિત્રોડા (પ્રમુખ લુહારજ્ઞાતિ મંડળ જામજોધપુર), સંતપ્રેમી રજનીભાઇ કવૈયા (પ્રમુખ લુહારજ્ઞાતિ મંડળ જામજોધપુર), સંતપ્રેમી પુનિતભાઇ સોલંકી જામજોધપુર, ગુરૂભકત ગૌરીશંકરભાઇ શીલુ ઘુનડા, ગુરૂભકત હિતેશભાઇ શીલુ ઘુનડા, ગુરૂભકત કમલેશભાઇ શીલુ એવં સૌ સંતપ્રેમી સમાજજનો જોડાયા હતા. (અહેવાલ - વિનુ જોશી : તસ્વીર - મુકેશ વાઘેલા,જૂનાગઢ)(૪૫.૧૦)

(11:45 am IST)