Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

સોમનાથ મંદિરથી નીકળેલી રથ યાત્રા હળવદ આવી

 હળવદ, તા.૧૯:- શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દ્વાદશ જયોતિર્લિંગ એટલે કે અલગ અલગ ૧૨ જયોતિર્લિંગના શણગાર કરેલ ૧૨ રથયાત્રા પુરા ગુજરાતમાં પ્રવાસ કરી ધર્મપ્રચાર કરી રહી છે ત્યારે છોટાકાશી તરીકે જગ વિખ્યાત હળવદ શહેરમાં રથયાત્રા આવી પહોંચી હતી રથ યાત્રાનું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આરતી પણ કરવામાં આવી ત્યાર બાદ રથ યાત્રા હળવદ નગરમાં મુખ્ય માર્ગ પર ફરી અને શંકારપરા ખાતે પહોંચી હતી જયાં હાજરસૌ એ હર હર મહાદેવ ... જય સોમનાથના નાદ સાથે યાત્રાનું સ્વાગત કરી ૫ કુવારીકા દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને હાજર સૌ એ રથ યાત્રામાં ૧૨ જતોતિર્લિંગમાંના એક શ્રી કાશીવિશ્વનાથ મહાદેવના ભાવ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યાર બાદ રામજી મંદિર ખાતે ધર્મસભાનું આયોજન થયું હતું જેમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દિપકદાસજી મહારાજ અને મહેન્દ્ર મહારાજએ આશીર્વચન આપ્યા હતા અને ત્યાર બાદ રથયાત્રા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને રાત્રી રોકાણ કરી વહેલી સવારે આરતી અને પૂજન અર્ચન કરી રથ યાત્રા મોરબી તરફ આગળ વધી હતી.(૨૨.૬)

(11:45 am IST)