Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કાલાવડ પંથકના અનેક ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ખાનકોટડા,બાંગા સરપાદરા,વાગડીયા , મતવા ,કૃષ્ણપુર,નાના થાવરીયા અને વિજરખી સહિતના ગામોમાં ભેદી ધડાકા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા

 

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ફરીવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલાવડ પંથકમાં બપોરે 12-30 વાગ્યા આસપાસ આંચકા અનુભવાયા બાદ આજે રાત્રે 9-36 વાગ્યા આસપાસ તાલુકાના ખાનકોટડા,બાંગા સરપાદરા,વાગડીયા , મતવા ,કૃષ્ણપુર,નાના થાવરીયા અને વિજરખી સહિતના ગામોમાં ભેદી ધડાકા સાથે  ભૂકંપના આંચકા અનુભવાયા નું ગ્રામજનો જણાવી રહ્યાં છે  જોકે હજુ સુધી તંત્ર દ્વારા સત્તાવાર સમર્થન મળ્યું નથી

  અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ તાલુકાના વિજરખી અને ખાનકોટડા આસપાસના ગામોમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે ત્યારે લોકોમાં ગભરાહટનો માહોલ જોવાઈ રહયો છે

 

(11:44 pm IST)