Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અંજારના લોહાણા વ્યાપારીની લૂંટના ઇરાદે હત્યા કરનાર આરોપીઃ ૧૪ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો

કામધંધો નહીં કરનાર બાવાજી યુવાન મોજશોખ માટે બાઈકચોરીના રવાડે, સોનાની ચેન લૂંટવા અન્ય સાગરીત સાથે મળી લોહાણા વ્યાપારીની હત્યા કરી

ભુજ, તા.૧૮:  પૂર્વ કચ્છમાં વધી રહેલા ગુનાખોરીને ડામવા અને જૂના ગુનાઓ ડિટેકટ કરવા માટે પોલીસ હવે એલર્ટ થઈ છે. અંજાર પોલીસે પૂર્વ બાતમીના આધારે વોચ દરમ્યાન વિનોદગર નવીનગર ગોસ્વામી નામના યુવાનને શંકાસ્પદ કાળા રંગની બાઇક સાથે ઝડપ્યા બાદ આ યુવાને બાઇક ચોરી અને હત્યાની કરેલી કબૂલાતે પોલીસને પણ ચોંકાવી દીધી હતી. મેદ્યપર કુંભારડી ગામે રહેતા આરોપી વિનોદગર નવીનગર ગોસ્વામીએ પોતાના ગામના જ અન્ય સાગરીત રામકૃષ્ણ ઉર્ફે લાલો ગિરિજાશંકર વ્યાસ સાથે મળીને ૧૪ જેટલી બાઇકોની ચોરી કરી હતી. મોજશોખ માટે બાઇક ચોરી કરતા વિનોદગર અને રામકૃષ્ણ ઉર્ફે લાલાએ અન્ય બે સાગરીતો રમેશ ઉર્ફે રામ ડાહ્યા ચૌહાણ અને કાના વજા રાજપૂત સાથે મળીને સોનાની ચેન લૂંટવાના ઇરાદે પોતાના જ મેદ્યપર બોરીચી ગામના લોહાણા વ્યાપારી રમેશ જેન્તીલાલ ઠકકર ઉપર હુમલો કરી તેમની હત્યા કરી હતી. અંજાર પોલીસે આ ગુનેગારોની વધુ તપાસ હાથ ધરી છે.

(10:23 am IST)