Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

મોરબીના ભડિયાદ ગામમાં ગટરના સમારકામ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાની માંગ :ભડિયાદ ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરાઈ

મોરબીના ભડિયાદ ગામમાં ગટરના સમારકામ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા બાબતે ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરવામા આવી છે
ગ્રામજનોએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે જંગલેશ્વર વિસ્તાર (ભડિયાદ ૩) જેનું હાલમાં નામ હરિઓમ સોસાયટી રાખવામાં આવ્યું છે તે વિસ્તારમાં ગટરના અવ્યવસ્થિત ઢાંકણા તથા ભાંગેલા તૂટેલા ઢાંકણા હોય જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ચોમાસામાં અકસ્માતની ભીતિ સેવતી હોય છે વરસાદના પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોય જેથી ચોમાસામાં રોગચાળો ફેલાય તેવો ભય પણ લોકોને સતાવે છે જેથી સમસ્યાના યોગ્ય નિવારણ માટે તાત્કાલિક પગલા ભરવા માંગ કરી છે

(9:16 pm IST)