Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

કોરોના વાયરસને પગલે દરિયામા ફિશીંગ માટે જતી બોટોની સંખ્યામા એકાએક ઘટાડોઃ ફિશીંગનો સમય પણ ઘટાડયોઃ અસંખ્ય બોટો દરિયા કિનારે લાંગરેલી પડી છેઃ ૧૦૮ મરીન એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ

         પોરબંદરઃ  કોરોના વાયરસને પગલે ફિશીંગ બોટ માલિકો પણ સાવચેત થયા છે. તેઓએ ફિશીંગ માટે જતી બોટોનો સમયગાળો ઘટાડી નાખ્યો છે.

         દરિયામાં ફિશીંગ માટે જતા માછીમારોની સુરક્ષા તેમજ આરોગ્ય પ્રત્યે કોસ્ટગાર્ડ-(નેવી)એ પણ બંદરપર તમામ તૈયારીઓ કરી છે. દરિયાકિનારે ઇમરજન્સી માટે ૧૦૮ મરીન એમ્બ્યુલન્સ તહેનાત કરાઇ છે, તેમજ કોસ્ટગાર્ડ દ્વારા દરિયામા ગયેલી ફિશીંગ બોટો પર હવાઇ નિરીક્ષણ દ્વારા પણ દેખરેખ રાખવામા  આવી રહી છે.

         પોરબંંદરના સમગ્ર દરિયાઇ વિસ્તારમાં કોરોના વાયરસ અ઼ગે તમામ પ્રકારના જરૂરી પગલા લેવા અને માછીમારો તેમજ પરિવારોની સુરક્ષા માટે કોસ્ટગાર્ડએ સંપૂર્ણ તૈયારી કરેલ હોવાનુ જાણવામ મળેલ છે.

(9:42 pm IST)