Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

મોરબી નગરપાલિકા તંત્રને ધણધણાવતી ઘટના

ભ્રષ્ટાચાર સામે પગલા નહિ લેવાતા ખૂદ ભાજપ સેનિટેશન ચેરમેને રાજીનામું ફગાવ્યું

મોરબી,તા.૧૮: નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચેરમેન અશોકભાઇ કાંજીયાએ ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે રાજીનામુ આપ્યું છે.

અગાઉ તેમના દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ કરીને વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી હતી. જો કે કોઇ યોગ્ય કદમો ઉઠાવ્યા ના હોય રાજીનામું આપ્યાની માહિતી મળી છે. પાલિકા પ્રમુખ કેતનભાઇ વિલપરા જણાવેલ છે કે ચેરમેન રાજીનામું આપ્યું છે જે ચીફ ઓફિસરને મોકલ્યું છે.

(1:05 pm IST)