Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

ભાવનગરમાં ''કોરોના''ના કારણે પટેલ પરિવારે સગાઇનો પ્રસંગ મુલત્વી રાખ્યો

 ભાવનગર તા. ૧૮ : કોરોના વાયરસનો ડર ગણો કે બીજુ કાંઇ પરંતુ હવે લોકો જોખમ ઉઠાવવા માંગતા ન હોય  તેમ અગાઉથી નકકી થયેલા શુભ પ્રસંગો પણ મુલત્વી રાખવા લાગ્યા છે. આવો જ બનાવ ભાવનગર શહેરમાં બનવા પામ્યો છે.જેમાં કાલે તા.૧૯ મીએ  એક પરિવારમાં સગાઇનો પ્રસંગ ધામધુમથી ફાર્મહાઉસમાં ઉજવવાનો હતો તે કોરોનાને કારણે બંધ રાખવામાં આવ્યો છે.

ભાવનગરમાં શાળા-કોલેજ બાદ મંદિરો પણ બંધ રાખવામાં આવી રહ્યા છે.

દરમ્યાન કોરોના ડરે હવે સગાઇ જેવા પ્રસંગ પણ મુલત્વી રાખવાનો બનાવ બન્યો છે. કાલે તા.૧૯ મીએ પટેલ પરિવાર દ્વારા સગાઇનો પ્રસંગ ધામધુમથી ઉજવવામાં આવનાર હતો આમંત્રણ કાર્ડ વહેચાઇ ગયા હતા અને પુરી તૈયારી થઇ હતી ત્યા કોરોનાને કારણે આ સગાઇ પ્રસંગે કોરોનાને કારણે મુલત્વી રાખવાની જાહેરાત કરવામાં આવી છે આમ કોરોના નો ડર વધી રહ્યો છે. અથવા જાગૃતિ વધી રહી છે.

(12:11 pm IST)