Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

વસોયા પરિવારનું સિંધાવદરનું સ્નેહમિલન મોકુફ

સિંધાવદર મુકામે યોજાયેલ લોક ડાયરો અને યજ્ઞ સહિતના કાર્યક્રમો પણ હાલ બંધ

રાજકોટ તા. ૧૭ : સમસ્ત વસોયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર મુકામે વસોયા પરિવારનો યોજવામાં આવેલ છઠ્ઠો સ્નેહ મિલન સમારોહ હાલની પરિસ્થિતીના કારણે મોકુફ રાખવામાં આવેલ છે.

વસોયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ છે કે તા. ૪ અને પ એપ્રિલના બે દિવસીય કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ. સ્નેહ મિલન તેમજ લોક ડાયરો અને યજ્ઞ રાખેલ હતો. પરંતુ કોરોના વાયરસની અસરના કારણે સરકારના આદેશોને માન આપી ટ્રસ્ટી મંડળે ઉકત તમામ કાર્યક્રમો મોકુફ રાખવા નિર્ણય લીધો છે.આગામી દિવસોમાં મહામારીની અસર સુધર્યા બાદ નવેસરથી કાર્યક્રમની તારીખો અને સમય જાહેર કરાશે. તેમ સમસ્ત વસોયા પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ રમેશભાઇ પી. વસોયાની યાદીમાં જણાવાયુ છે.

(12:09 pm IST)