Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

માણાવદરમાં કોરોના સામે જનજાગૃતિ દર્શાવતા બેનર મોડા મારતા પૂર્વ પ્રમુખ લાલઘુમ

માણાવદરમાં અખબારી અહેવાલો બાદ બજારમાં સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી તે પ્રસંગની તસ્વીર.

માણાવદર તા. ૧૮: માણાવદર નગરપાલીકા દ્વારા સફાઇ કામગીરીમાં અસહ્ય બેદરકારી અને કોરોના માટે જનજાગૃતિમાં બેદરકાર રહેતા માણાવદર પાલિકાના પૂર્વ પ્રમુખે નારાજગી દર્શાવી હતી.

પૂર્વ પ્રમુખ દેવજીભાઇ જાટકીયાએ જણાવેલ કે અખબારી અહેવાલો બાદ તંત્રએ શાક માર્કેટ વિસ્તારમાં સફાઇ કરી હતી ખરેખર શહેરમાં અનેક જગ્યાએ ગંદકીથી પ્રજા પીડાઇ રહી છે.

વધુમાં કોરોના સામે જનજાગૃતિ દર્શાવતા બેનર પણ હવે લગાવ્યા તો અત્યાર સુધી શું કયું તેવો પણ પ્રશ્ન કર્યો છે. તેમને સફાઇ તેમજ દવા છંટકાવની કામગીરી તપાસ કરી ગેરરીતી જણાય તો કોન્ટ્રાકટર સામે પગલા લેવાની પણ માંગણી કરી છે.

(12:03 pm IST)