Gujarati News

Gujarati News

News of Wednesday, 18th March 2020

જેતપુરના ખાખરીમાં ઘોડીયામાંથી પડી જતાં ૮ માસની બાળકીનું મોત

રાજકોટ તા. ૧૮: જેતપુરના ખાખરી ગામે આઠ વર્ષની બાળા ઘોડીયામાંથી પડી જતાં ઇજા થતાં મોત નિપજ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ પરપ્રાંતિય યુવાન ખુમસિંગ સોલંકી હાલમાં જેતપુરના ખાખરી ગામે દોલતભાઇ કોરાટની વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરે છે. તેની આઠ માસની દિકરી ગઇકાલે સવારે ઘોડીયામાં સુવડાવી હતી તેમાંથી પડી જતાં માથામાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ રાત્રીના સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂ અને હિરેનભાઇએ કાગળો કરી જેતપુર પોલીસને જાણ કરી હતી.

(11:45 am IST)