Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

નરેન્દ્રભાઇ રાષ્ટ્ર માટે પુરૂષાર્થને પંચાક્ષરી મંત્ર-પ્રેરણાસ્ત્રોતઃ પૂ.રમેશભાઇ ઓઝાએ નરેન્દ્રભાઇને જન્મદિનની શુભેચ્છા પાઠવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ-રાજુલા, તા., ૧૭: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે કચ્છના કોટેશ્વર ખાતે આયોજીત શ્રીમદ ભાગવત કથામાંથી પૂ. રમેશભાઇ ઓઝાએ જન્મદિનની શુભેચ્છા પાઠવી છે.

નરેન્દ્રભાઇ મોદીજી રાષ્ટ્ર માટે પુરૂષાર્થનો પંચાક્ષરી મંત્ર અને પ્રેરણાસ્ત્રોત છે તેમ ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું.

તેમણે કહયું હતું કે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી એક એવું વ્યકિતત્વ છે જે વેદોએ બતાવેલા માર્ગ પર નિરંતર રાષ્ટ્ર અને માનવતા માટે પોતાની જાતને સમર્પિત કરતા પોતાના જીવનને યજ્ઞમય બનાવીને જીવનયાત્રા કરી રહયા છે.

તેઓ પોતાના સેવામય અને પુરૂષાર્થમય જીવનના સાત દશક પુરા કરી ૭૧માં વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે તેમના માટે સમગ્ર રાષ્ટ્ર જ નહી સમગ્ર વિશ્વમાં જેમને માનવતામાં શ્રધ્ધા છે. લોકતાંત્રીક  વ્યવસ્થામાં આસ્થા છે તે દરેક તેમનું હાર્દિક અભિનંદન કરતા તેમની નિરામયતા અને શતાયુ થવાની પ્રાર્થના કરશે.

અંતમાં તેમણે પ્રિય સન્માનનીય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીને જન્મદિનના હાર્દિક અભિનંદન, જીવેત શરદઃ શતમ તેમ અંતમાં પૂ.રમેશભાઇ ઓઝાએ જણાવ્યું છે.

(11:59 am IST)