Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ભાવનગરમાં સ્વામી વિશ્વ વલ્લભદાસ વિરૂધ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ કરવા ભાવનગરમાં રજુઆત

ભાવનગર તા. ૧૭: ક્રાન્તી સેના દ્વારા અનુસૂચિત જાતિ અને પછાત વર્ગની લાગણી દુભાવવાનો પ્રયાસ કરનાર સ્વામી વિશ્વ વલ્લભદાસ વિરૂધ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધાવા માંગણી કરવામાં આવી છે.

ક્રાન્તી સેનાના આગેવાનો અને કાર્યસ્કરો કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતાં અને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

અનુસૂચિત જાતિના ગરીબ વર્ગના લોકો સાથે અપમાન અને એટ્રોસીટીને લગતા કેસમાં ભોગ બનનારને઼ સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.

(12:16 pm IST)