Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વિંછીયાના ગુંદાળાના કોળી પ્રોૈઢ ગણેશભાઇનો આર્થિક ભીંસને લીધે ઝેર ગટગટાવી આપઘાત

રાજકોટ તા. ૧૭: વિંછીયાના ગુંદાળા ગામે રહેતાં ગણેશભાઇ ઠાકરશીભાઇ કટેશીયા (ઉ.૫૫) નામના કોળી પ્રોૈઢે રાત્રીના ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

ગણેશભાઇએ મોડી રાત્રે ઝેર ગટગટાવતાં રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે વિંછીયા પોલીસને જાણ કરી હતી. તે ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. કેટલાક સમયથી આર્થિક ભીંસ હોવાથી આ પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું.

(12:58 pm IST)