Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોવિયામાં સંત મગ્નીરામબાપુની પુણ્યતિથિ મહોત્સવ : ધર્મસભા સહિત વિવિધ કાર્યક્રમો

(મનીષ દવે દ્વારા) ગોંડલ પાસે મોવીયામાં સંતોષી માતાજી મંદિર ખાતે સંતશ્રી મગ્નીરામબાપુની ચૈતન્ય સમાધી દર્શનીય છે. આ સ્થાન ખાતે પૂ.સંત મગ્નીરામબાપુની પુણ્યતિથિથી મહોત્સવ તા. ર૭ના ઉજવાશે.

આ પ્રસંગે વિષ્ણુયાગ, ષોડર્ષોપચાર પૂજન, ડો. કૃણાલ, ડો. પ્રશ્વ્વા તથા ડો. કેયુર, ડો. હિરલની છેડાછોડી વિધિ વડીલોનું બહુમાન, તેમજ મહંત પૂ. ચંદ્રેશબાપુનો પ૦મો જન્મોત્સવ, ધર્મસભા, સાધુ બ્રાહ્મણ, ચોર્યાશી ધુન-ભજન -સંકિર્તન તેમજ અમેરિકા નિવાસી ગુણવંતભાઇ ડી. નીરંજનીના સૌજન્યથી ધો. ૧રમાં ઉર્તીણ થયેલ તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ થશે. પુણ્યતિથિ મહોત્સવ દેૈવીસ્વરૃપા પૂ. ચંપામા અને પૂજારી શ્રીમતિ મીનાબહેન સી. નીરંજનીના સીધા માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ થઇ રહેલ છે.

(12:56 pm IST)