Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વિસાવદરઃ કુ.શ્વેતાબેન મહેતાની વર્ષિતપ સાથે નવ ઉપવાસની તપશ્ચર્યા

વિસાવદર તા.૧૭: સ્થાનકવાસી  જૈન સંઘના આંગણે ચાલુ વર્ષે લીંબડી ગોપાલ સંપ્રદાયના શેષ કાળમાં પધારેલા નિમગ્નાબાઇ સ્વામી આદીઠાણા-૩ની પાવન નીશ્રામાં શ્રીમતી રશ્મીબેન રાજેનભાઇ મહેતાની સુપુત્રી કુ.શ્વેતાબેન મહેતાએ વર્ષિતપની આરાધના શરૂ કરેલ હતી. હાલ પર્યુષણ પર્વ દરમ્યાન શાસન દેવ ભગવાન શ્રી મહાવીર સ્વામીની અસીમ કૃપાથી વર્ષિ તપની સાથોસાથ ૯ (નવ) ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા પણ શ્વેતાબેન દ્વારા સાતા પૂર્વક કરવામાં આવેલ હોય. શ્રીમતી રમાબેન વસંતલાલ મહેતા પરીવાર તથા શ્રી સમસ્ઘ સંઘ હર્ષની લાગણી અનુભવે છે. શ્રી સંઘના પ્રમુખશ્રી રાજુભાઇ કામાણીએ તમામ સાધુ સાધ્વીજી, તપસ્વી તથા સમસ્ત શ્રી સંઘને ખરા અંતઃકરણપૂર્વક ખમાવેલ છે. (૧૧.૪)

(12:16 pm IST)