Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

મુળીના સરામાં લુહાર પરિણીતાએ જેઠાણી સાથે ઝઘડો થતાં જીવ દીધો

ગળાફાંસો ખાઇ લીધોઃ સજ્જનપુર માવતર ધરાવતી યુવતિના આપઘાતથી માસુમ પુત્રી મા વિહોણીઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ૧૭: મુળીના સરા ગામે રહેતી હર્ષાબેન મિતેષ સોલંકી (ઉ.૨૫) નામની લુહાર પરિણીતાએ પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મુળી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પણ તબિબે મૃત જાહેર કરી હતી. તેણીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

આપઘાત કરનાર હર્ષાબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. પતિ મિતેષ સુથારાી કામ કરી ગુજરાન ચલાવે છે. તેણીના માવતર ધ્રાંગધ્રાના સજ્જનપુર ગામે રહે છે અને પિતાનું નામ રસિકભાઇ મગનભાઇ પીઠવા છે. પતિ મિતેષના કહેવા મુજબ જેઠાણી સરોજબેન સાથે ઘરકામ સહિતની બાબતે ચડભડ થતાં માઠુ લાગી જતાં તેણીએ આ પગલુ ભરી લીધું હતું. મુળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હર્ષાબેનના આપઘાતથી માસુમ પુત્રી મા વિહોણી થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(12:06 pm IST)