Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ભાવનગરમાં દુકાનની છતના પતરા હટાવીને ર.૩૦ લાખ રોકડની ચોરી

ભાવનગર, તા. ૧૭ : મોતી તળાવ વિસ્તારમાં વેપારી પેઢીમાં ત્રાટકી તસ્કરો રૂ.ર.૩૦ લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતાં.

શિશુ વિહાર વિસ્તારમાં યુસુફ બાગ એપાર્ટમેન્ટમાં રહેતા જાનમહંમદભાઇ અમજીભાઇ બોરડીવાલાની શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોતી તળાવ રોડ પર આવેલ જે.જે. ટ્રેડર્સ નામની પેઢીના છતના પતરા તોડી અંદર પ્રવેશી રાત્રીના સમયે તસ્કરોએ અંદર પ્રવેશી ટેબલના ખાનામાં રાખેલા રૂ. ર.૩૦ લાખની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતાં. ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:01 am IST)