Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

બાબરામાં માનવ સેવા ગ્રુપનું સન્માન

 બાબરા : બાબરામાં માનવસેવા ગ્રુપ દ્વારા વિવિધઙ્ગ સેવાકીય પ્રવૃત્ત્િ।ઓ કરવામાં આવે છે. આ ગ્રુપ દ્વારા બિનવારસી લાશની અંતિમ વિધિ કે કોઈ સાધુ ભિક્ષુક ની સારવાર તેમજ દિવાળી અને ઉતરાયણ જેવા તહેવારો પર ગરીબ પરિવારને કપડાં, ચપ્પલ તેમજ ખાદ્યપદાર્થોનું વિનામૂલ્યે આમાનવસેવા ગ્રુપ દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમજ મૂંગા પશુઓ તેમજ બીમાર અને અશકત ગાયોની સાર સંભાળ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.ઙ્ગસેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર એવું માનવસેવા ગ્રુપ ની સેવાની નોંધ નગરપાલિકા પ્રમુખ વનરાજવાળા વાળા દ્વારા લેવામાં આવી હતી અને તમામ ગ્રુપના સભ્યોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉતરાયણ પર્વ પર માનવસેવા ગ્રુપ દ્વારા ગરીબ પરિવારો ને આશરે ૧૦૦૦ કિલો ઊંધીયાનું વિનામૂલ્યે વિતરણ કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગ્રુપના તમામ સભ્યોનું પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, પત્રકાર રાજુભાઇ બસિયા, પત્રકાર મનોજભાઈ કનૈયા, એડવોકેટ કુલદીપભાઈ ભટ્ટ, નાગરિક બેન્કના વાઇસ ચેરમેન વસંતભાઈ તેરૈયાના હસ્તે તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતુંઙ્ગતે તસ્વીર.

(9:58 am IST)