Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરેન્દ્રનગરના એ.સી.બી.ના પી.આઇ. જયુભા ઝાલાને હૃદયરોગનો હૂમલો ઘાતક નિવડયો

સ્મશાન યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયાઃ શનિવારે બપોરે ૩ થી ૬ સુરેન્દ્રનગર ખાતે બેસણુ

વઢવાણ તા.૧૭ :.. સુરેન્દ્રનગર ક્ષત્રીય સમાજના લખતરના ભડવાણા ગામના વતની અને સુરેન્દ્રનગર થી કચ્છ સુધી પોતાની પોલીસ ખાતામાં સેવા પ્રદાન કરી અને સુરેન્દ્રનગર-એ.સી.બી. પી.આઇ. તરીકે ફરજમાં રોકાયેલા  એવા બહોળા મિત્ર વર્તુળ અને લોકચાહના ધરાવતા એવા જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા, ગુમાનસિંહજી ઝાલાનું  હૃદયરોગના હુમલામાં એકાએક અવસાન થતા ક્ષત્રીય સમાજ અને બહોળા મિત્ર વર્તુળમાં  અવસાનના સમાચારથી ધ્રાસ્કો લાગ્યો હતો. અને શોકની લાગણી છવાઇ જવા પામેલ હતી.

સદ્ગતની સ્મશાન  યાત્રામાં  તમામ વર્ગના લોકો અને પોલીસ બેડાના કર્મચારી ઓ સગા સ્નેહીજનો વગેરે જોડાયા હતાં.

તેમના પરિવારમાં બે પુત્રો ગીરીરાજસિંહજી અને સિધ્ધરાજસિંહ અને ધર્મપત્ની તેમજ પુત્રવધુઓ પૌત્રો સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.

 સદ્ગત જયુભાનું બેસણું શનીવારે તા. ર૦ ના રોજ દયામયી સ્કુલ સામે કર્મયોગી  સોસાયટી ખાતે તેમના નિવાસ સ્થાને બપોરે ૩ થી ૬ દરમ્યાન રાખવામાં આવેલ છે.

જયેન્દ્રસિંહ  જયુભા ઝાલા, સુરેન્દ્રનગર સીટીથી લઇ એલ. સી. બી. શાખા કચ્છ-ભુજ સહિતના શહેરોમાં ફરજ બજાવી લોકચાહના મેળવી ચુકયા હોવાના કારણે મિત્ર વર્તુળમાં  ભારે  શોક  છવાઇ જવા પામ્યો છે.

(3:39 pm IST)