Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી જીતુભાઇ સોમાણીના બહેન-પાલિકાના પુર્વ પ્રમુખ ઉષાબેનનું અવસાન

શનિવારે સાંજે લોહાણા મહાજન વાડીમાં બેસણું: અંતિમવિધિમાં તમામ ક્ષેત્રના આગેવાનો જોડાયાઃ રઘુવંશી સમાજ તથા યાર્ડના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્‍યા

વાંકાનેરઃ લોહાણા સમાજના અગ્રણી સ્‍વ. કાંતિલાલ કરશનદાસ સોમાણીના પુત્રી અને વાંકાનેર રઘુવંશી સમાજના મોભી એવા શ્રી જીતુભાઇ સોમાણી, રાજુભાઇ સોમાણી અને સ્‍વ. દિનેશભાઇ સોમાણીના બહેન ઉષાબહેન સોમાણી (ઉ.વ.૫૮) નું ગત મોડી રાત્રીના દુઃખદ અવસાન થયાના સમાચાર વાયુવેગે ફેલાતાની સાથે જ સોમાણી પરિવારના સગા સ્‍નેહીઓ, લોહાણા-મહાજન, યુવક મંડળ, સોશ્‍યલગ્રૃપના સર્વે હોદેદારો જીતુભાઇ સોમાણીના મિત્રો અને ચાહકો સહિત બહોળી સંખ્‍યામાં લોકો રાત્રે જ માર્કેટશેરી સ્‍થિત તેમના નિવાસ સ્‍થાને સોૈ દોડી ગયા હતા અને સાંત્‍વના આપી હતી.

આજે તા. ૧૬-૮-૧૮ના સવારે ૯ વાગ્‍યે માર્કેટશેરીના તેમના નિવાસ સ્‍થાનેથી નિકળેલી ઉષાબહેનની અંતિમયાત્રામાં રાજકીય, સામાજિક, શેક્ષણિક, ધાર્મિક સંસ્‍થાના અગ્રણીઓ જુદી-જુદી જ્ઞાતિના અગ્રણીઓ, ડોકટરો, વકીલો, પત્રકારો, અધિકારીઓ વિગેરે બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

કુ. ઉષાબહેન કાંતિલાલ સોમાણી વાંકાનેર નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં ત્રણ વખત ચૂંટાયા હતા અને બે વખત નગરપાલિકાના પ્રમુખ પદે રહી પ્રજાહિતના કાર્યો તેઓએ કર્યા હતા. આ ઉપરાંત તેઓ વાંકાનેર રઘુવંશી મંડળ ઉપરાંત અનેક મહિલા સંસ્‍થાઓના માર્ગદર્શક હતા. વાંકાનેરના પુર્વ ધારાસભ્‍ય શ્રીમતી જયોત્‍સનાબેન સોમાણીના તેઓ નણંદ થતા હતા. માતા-ભાઇઓ- ભાભીઓ-ભત્રીજા-ભત્રીજીઓ સહિતના સોમાણી પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.

સ્‍વર્ગસ્‍થ ઉષાબહેન કાંતિલાલ સોમાણીનું બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા. ૧૮-૮-૧૮ને શનિવારે સાંજે ૪ થી ૬ શ્રી લોહાણા મહાજન વાડી દિવાનપરા, વાંકાનેર ખાતે ભાઇઓ તથા બહેનોની સાથે રાખેલ છે.(૧.૨૨)

 

(11:57 am IST)