Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભાણવડના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે રૂદ્રાભિષેક

ભાણવડ : ત્રિવેણી સંગમ ઘાટ પર બિરાજતા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રૂદ્રાભિષેકનું આયોજન કરાયું હતું. ઇન્દ્રેશ્વર મંદિર શુભેચ્છક મિત્ર મંડળ આયોજીત રૂદ્રાભિષેક કાર્યક્રમમાં શુભેચ્છક મિત્ર મંડળના સભ્યો, શહેરીજનો તેમજ આસપાસના ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તો કર્મચારી મંડળ પણ આ કાર્યક્રમમાં હાજરી આપે છે. રૂદ્રાભિષેકના આયોજન માટે શુભેચ્છક મિત્ર મંડળના સભ્યો યથાશકિત સ્વૈચ્છીક ફંડ આપી સમુહ પ્રસાદી રાખે છે. (તસ્વીર - અહેવાલ : ડી. કે. પરમાર-ભાણવડ) (પ-૭)

(12:40 pm IST)