Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ગધેથડના શ્રી ગાયત્રી આશ્રમે પૂ. લાલબાપુના સાનિધ્યમાં ગુરૂપુર્ણિમાની ઉજવણી

ઢાંક તા.૧૬ : ઉપલેટા તાલુકાના ગધેથડના ગાયત્રી આશ્રમના સંત શિરોમણી શ્રી લાલબાપુના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરૂપૂર્ણિમાંની ઉજવણી કરવામાં આવી રહી છે.  ભકતરાજ-રાજુભગત ભકતરાજ-દોલુભગત તથા પૂજય લાલબાપુના હજારો ભકતો દ્વારા લાલબાપુનું પુજન કરવામાં આવ્યું હતું ગાયત્રી આશ્રમ દ્વારા દર્શને આવતા ભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. અંદાજે ૪૦ હજારથી વધારે ભકતો પ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ૮૦૦ જેટલા સ્વયં સેવકો અવિરત સેવા આપી રહ્યા છે. તેમજ ગાયત્રી આશ્રમ ખાતે લોક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

(11:46 am IST)