Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

કાલાવડમાં મામલતદાર જોશીને વૃક્ષારોપણ સાથે નિવૃતિ વિદાયમાન

કાલાવડ, તા. ૧૬ : અમરનાથ યાત્રા સેવા મંડળ દ્વારા સુરસાંગડા હનુમાન મંદિર તુલસી આશ્રમના મહંત વાલદાસ બાપુ તેમજ ભાનુભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મામ. શ્રી વાય.પી. જોશી નિવૃત થતાં તેમના સન્માન કાર્યક્રમમાં તુલસી આશ્રમ ખાતે ૧૦૮ ઝાડના વૃક્ષારોપણ અને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કાર્યક્રમ યોજાયેલ હતો.

આ કાર્યક્રમમાં અમરનાથ યાત્રી મંડળના પ્રમુખ કેશુભાઇ બોઘરા, મંત્રી સુખદેવગીરી ગોસ્વામી, મગનભાઇ પંડયા, અનિલભાઇ વ્યાસ, પ્રવિણભાઇ જાની, રતનશીભાઇ કાનાણી, પરસોતમભાઇ વાદી, અશોકભાઇ ચોવટીયા, લલીતભાઇ ભટ્ટ તેમજ કાર્યકરો અને વિવિધ સંસ્થા તરફથી વાય.પી. જોશીનું સન્માન કરેલ હતું. આ કાર્યક્રમનું સંચાલન રજનીકાંતભાઇ પાટલીયાએ કરેલ હતું.

(11:39 am IST)