Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

જસદણ સ્વામિનારાયણ મંદિરે આજે સાંજે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

જસદણ તા. ૧૬: સોખડાવાળા સંત પૂજય હરિપ્રસાદ સ્વામી પ્રેરિત શ્રી અક્ષરપુરુષોત્ત્।મ સ્વામિનારાયણ મંદિર ચિતલીયા રોડ જસદણ ખાતે આજે તારીખ ૧૬-૭ ને મંગળવારે સાંજે ભવ્ય ગુરૂપુર્ણીમા મહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન યોગીધામ રાજકોટના સંત પૂજય ત્યાગવલ્લભ સ્વામી તથા પૂજય સર્વાતીત સ્વામીજી દ્વારા ગુરુ મહિમા અંગે પ્રવચન આપવામાં આવશે. સાંજે ૭ થી ૭.૩૦ દરમ્યાન ગુરુપૂજન યોજાશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુપૂજન, પ્રવચન, આરતી, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આત્મીય સત્સંગ મંડળ જસદણ તેમજ રાજુભાઈ ધારૈયા, ગુણાભાઈ નારીયા તથા વિનુભાઈ ચાવે અનુરોધ કર્યો છે.

(11:30 am IST)