Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

મુંબઇથી ભાવનગર આવેલ દર્દીનું કોરોનાથી મોત

મૃતક મહિલાના એક પુત્રનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો'તો બીજા પુત્ર સાથે માનસિક રોગની સારવાર માટે ભાવનગર આવ્યા'તા

ભાવનગર, તા. ૧૬ :  ભાવનગરમાં માનસિક રોગની બિમારીની સારવાર માટે મુંબઇથી આવેલ મહિલાનું કોરોનાથી મોત થતા ભારે શોક છવાયો છે.

મુંબઇના થાણેમાં રહેતા ૩૯ વર્ષીય ગીતાબહેન દલસુખભાઇ લકુમ છેલ્લા ૩ માસથી માનસિક રોગની સારવાર માટે ભાવનગર આવતા અને એ મુજબ ત્રણ દિવસ પહેલા તેઓ પોતાના પુત્ર સાથે ભાવનગર આવ્યા બાદ ચકાસણીમાં તેમને કોરોના પોઝિટીવ નોંધાતા સરતખ્તસિંહજી હોસ્પિટલના આઇસોલેકશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આજે તેમની તબિયત વધુ લથડી હતી અને મોત થયું હતું.

મુળ સુરેન્દ્રનગર જિલ્લાના રાણપુર તાલુકાના ચુડા ગામની વતની અને ર૦ વર્ષથી મુંબઇના થાણે, મીરા રોડ (ઇસ્ટ) ગુજરાતી ચાલ, શિવશકિતનગર, જી-૬માં રેહતા ગીતાબહેનના એક પુત્ર તો મુંબઇમાં કોરોના પોઝિટીવ છે જે અને તેઓ બીજા દિકરા સાથે ભાવનગર આવેલા અને અત્રે કોરોના પોઝિટીવ આવ્યા મોત નિપજયું હતું. જો કે આ કેસ મુંબઇનો હોય ભાવનગરનું નહીં ગણાય. ભાવનગરના અત્યાર સુધીના કોરોનાથી થયેલા મોતમાં આનો ઉમેરો નહીં ગણાય.  બે કોરોના પોઝિટીવ દર્દી કોરોનામુકત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. મેઇન બજાર, લંગાળા ખાતે રહેતા ર૭ વર્ષીય રાકેશભાઇ ખીમજીભાઇ સોલંકી તેમજ આંબલા ગામ ખાતે રહેતા ૬૦ વર્ષીય વિજયાબેન ઘનશ્યામગીરી ગોસ્વામીનો રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી.

(11:33 am IST)