Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાવરકુંડલા કબીર ટેકરી ખાતે નેત્રયજ્ઞ

સાવરકુંડલા : સાવરકુંડલા કબીર ટેકરી ખાતે શ્રી સદ્દગૂરૃ કબીરસાહેબ સેવા ટસ્ટ અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પીટલ અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પમાં આંખોના રોગથી પીડાતા દર્દીનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યા હતાં. આ કેમ્પની અંદર ઓપીડીમાં ૧૦૧ દર્દીઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાનાઙ્ગ ૩૨ દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યાં હતા. આ કેમ્પ નુ દિપ પાગટયઙ્ગ પ.પૂ. મહંત શ્રી નારાયણદાસનાં હસ્તે કરવામાં આવ્યું હતું.ઙ્ગજયારે લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી લાયન્સ પ્રમુખ રમેશભાઈ કાથરોટિયા, એમ .એમ. પટેલ, પૂર્વ પ્રમુખ, સાહાસ ઉપાધ્યાય, વિનુભાઈ અદરોજા તેમજ બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના વિશાલભાઇ વ્યાસ,ઙ્ગ જિતેનભાઇ હેલૈયા, મેહુલભાઈ ત્રિવેદી, કિર્તિભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, વિજયભાઈ દવે, તુલસીદાસ, વનરાજભાઈ ખાચર, ભીખાભાઇ દરજી, કબીર ટેકરી સાવરકુંડલા ગ્રુપનાં લાલભાઈ મંગલદીપ ટેલર, પંકજભાઈ કારેલિયા, સંજયભાઈ જેઠવા વગેરે એ સેવા આપી હતી. (તસ્વીર - અહેવાલ ઃ દિપક પાંધી, સાવરકુંડલા)

(1:43 pm IST)