Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાળંગપુર શ્રીકષ્‍ટભંજન હનુમાનજીને આજે પુનમનાં પુષ્‍પ શ્રૃંગાર-મારૂતી યજ્ઞ

વાંકાનેરઃ બોટાદ જિલ્લાના જગ વિખ્‍યાત એવા સાળંગપુરધામના આવેલ સૌનું આસ્‍થાનું પ્રતીક શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે આજરોજ તારીખઃ ૧૬/૫/૨૨ને સોમવારના પૂર્ણિમા ના પાવન પુણ્‍યશાળી પર્વે આજે દાદાના નિજ મંદિરમા સિંહાસનને અનોખા ફૂલોનાં શણગાર દર્શન રાખેલ છે તૅમજ આજે સવારે મંગળા આરતી પ પુ પૂજારી સ્‍વામીશ્રી ડી, કે, સ્‍વામી દ્વારા કરવામાં આવેલ તૅમજ દાદાની ભવ્‍ય શણગાર આરતી કોઠારી સ્‍વામી પ, પૂજ્‍ય શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ હતી આજે પૂનમ હોય સવારે બંને આરતી મા હજારો ભાવિક ભક્‍તજનોએ દાદાના દર્શનનો લાભ લઈ ધન્‍યતા અનુભવેલ હતી નિજ મંદિરમા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠેલ હતું આ ઉપરાંત આજે પૂનમ હોય સવારના સાત વાગ્‍યાથી સાંજના પાંચ વાગ્‍યાં સુધી યજ્ઞશાળામા મારૂતિ યજ્ઞ યોજાયેલ છે.

 

(11:59 am IST)