Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ટંકારા તાલુકાના પત્રકારો દ્વારા આવેદન

 ટંકારા :  ટંકારા તાલુકાના પ્રિન્ટ મીડિયા તથા ઇલેકટ્રોનિકસ મીડિયાના પત્રકારો પત્રકારો દ્વારા ટંકારા મામલતદારને ,અમદાવાદના પત્રકાર ધવલ પટેલ વિરુદ્ઘ ખોટો રાજદ્રોહનો ગુનો નોંધવા સામે આવેદન પત્ર આપવામાં આવેલ. ટંકારાના પત્રકાર હર્ષદરાય કંસારા ભાવિનભાઈ સેજપાલ,ઙ્ગ જયેશભાઈ ભટાસણા ,વિ.કે .ઝાલા તથા દ્યેલાભાઈ ફાંગલીયા એ મામલતદાર એમ. જે .પટેલ ને લેખિત આવેદનપત્ર આપી અમદાવાદના પત્રકાર ધવલ પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહનો ગુનો રદ કરવા માંગણી કરેલ છે. લોકશાહીના આધારઙ્ગ એવા પત્રકાર જગત ને ને ડરાવવાના પ્રયાસો ને વખોડી કાઢેલ છે. ઙ્ગતસ્વીરમાં મામલતદારને આવેદન પાઠવતા પત્રકારો નજરે પડે છે. (તસ્વીર : હર્ષદરાય કંસારા)

(11:44 am IST)