Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જસદણમાં લોકડાઉનમાં અસરકારક કામગીરી કરનાર મહાદેવ ગ્રુપ દ્વારા આવતીકાલે મહા રકતદાન શિબિર

 જસદણ, તા. ૧૬ : જસદણમાં લોકડાઉન દરમિયાન એક ખરાં અર્થમાં નિઃસ્‍વાર્થ સેવા આત્‍માને અજવા ળે. દિલથી કામગીરી કરનાર મહાદેવ ગ્રુપના સભ્‍યો દ્વારા તા. ૧૭ ને રવિવારના રોજ શહેરના ચિતલીયા કુવા રોડ પર આવેલ પ્રજાપતિ સમાજની વાડી ખાતે સવારના નવ કલાકથી સાંજના છ વાગ્‍યા સુધી એક મહા રકતદાન શિબિરનું આયોજન કરી ગ્રુપની યશ કલગીમાં એક વધુ પીંછું ઉમેર્યું હતું. પ્રથમ લોકડાઉનના પ્રારંભથી લઇ હાલ સુધી ગરીબ જરૂરીયાતમંદ માનવી મુંગા પશુ પક્ષીઓની સેવા કરતા આ ગ્રુપની મહા રકતદાન શિબિરમાં આખો દિવસ રવિવારે સેવાનો દરિયો વહેતો રહેશે. લોકડાઉન દરમિયાન સૌરાષ્‍ટ્ર માં અનેક શહેરો ગામોમાં લોહીની ભારે અછત સર્જાતા જરૂરીયાતમંદ દર્દીઓને અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે અને જસદણવાસીઓની સેવાભાવનાઓ કોઇ જોટો જડે એમ નથી એટલે રવિવારે સ્‍વૈચ્‍છીક રકતદાતાઓ ઉમટી પડશે. દરમિયાન મહાદેવ ગ્રુપના સભ્‍યો એ જણાવ્‍યું હતું કે લોહીની દર્દીઓને જરૂરીયાત દિવસે દિવસે વધતી જઇ રહી છે અને આવક ઓછી હોવાથી દર્દીઓના સગા સાથીઓને લોહી માટે ભારે રજળપાટ કરવો પડી રહ્યો હોવાથી અમારા ગ્રુપના સભ્‍યોને વિચાર આવ્‍યો કે લોહીની અછત વચ્‍ચે આપણે પણ એક રકતદાન શિબિરનું આયોજન હાથ પર લઇ એટલે દર્દીઓને થોડા અંશે મદદરૂપ બની શકાય એટલે જસદણના આ સેવા કાર્યમાં તમામ જ્ઞાતિ સમાજ સંસ્‍થાઓના સ્‍વૈચ્‍છીક રકતદાતાઓ આ શિબિરમાં વધુમાં વધુ ઉમટી પડી રેકોર્ડબ્રેક રકતદાન કરે એવી મહાદેવ ગ્રુપના સભ્‍યોએ હાકલ કરી છે.

(10:47 am IST)