Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

મોદી સામે મહાગઠબંધન કરનારા તકવાદીઓઃ વિજયભાઇ રૂપાણી

 ઉના તા.૧૬: લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેભાઇ ચુડાસમાના સમર્થનમાં ઉનામાં ત્રિકોણ બાગ પાસે મેદાનમાં વિજયભાઇ રૂપાણીએ જાહેરસભામાં જણાવેલ કે ચૂંટણી ટાણે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સામે વિરોધ પક્ષો એક થઇને મહાગઠબંધન કરી મેદાન પડનારા તકવાદીઓ છે તેઓ એક નથી પરંતુ દંભથી એકતા દર્શાવી રહેલ છે.

જાહેરસભામાં વિજયભાઇ રૂપાણીએ નરેન્દ્રભાઇ મોદી સરકારે દેશની સુરક્ષા માટે ચિંતા કરી છે અને સર્જીકલ સ્ટ્રાઇકના પગલા પણ લીધાં છે.

દેશની જનતાના હિત માટે નરેન્દ્રભાઇ મોદીએ અનેક કલ્યાણકારી યોજના અમલી બનાવી છે. આયુષ્યમાન ભારત, વૃદ્ધજનો માટે પેન્શન ઉજ્જવલ્લા યોજના, જનધન ખાતા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાથી આમ જનતાને ફાયદો થયો છે.

ચૂંટણી જાહેરસભામાં ભાજપના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા, આગેવાનો ક.સી. રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખશ્રી ચારણિયા, રામભાઇ વાળા, ચંદ્રેશભાઇ જોષી વગેરે હાજર રહ્યા હતાં.

(3:51 pm IST)