Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

૧૮મીએ રાહુલની કેશોદ કે પોરબંદરમાં રેલીઃ સોમનાથ જશેઃ ૨૦મીએ બારડોલી-પાટણમાં સભા

શત્રુઘ્ન સિન્હા, ઉર્મિલા, નગ્મા પણ ગુજરાત આવે છે

અમદાવાદ, તા. ૧૬ :. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગઈકાલે સૌરાષ્ટ્રમાં હતા. તેઓ ફરી ૧૮મીએ સૌરાષ્ટ્ર આવી રહ્યા છે. ૧૮મીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ કેશોદ કે પોરબંદરમાં રેલી યોજશે. તેઓ ૨૦મીએ ફરી આવશે અને બારડોલી, દાહોદ, પાટણમાં રેલીને સંબોધન કરશે.

આ ઉપરાંત શત્રુઘ્ન સિન્હા, ઉર્મીલા માંતોડકર, નગ્મા, ગેહલોટ વગેરે પણ પ્રચાર કરવા આવી રહ્યા છે.

આજે નવજોત સિદ્ધુ ૪ જેટલી સભાઓને સંબોધન કરી રહ્યા છે.

(11:53 am IST)