Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામજન્મોત્સવ : શોભાયાત્રા

માણાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી. ઉપરાંત શોભાયાત્રામાં ૧૦૦થી વધુ હનુમાનજીના પાત્રએ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ શોભાયાત્રામાં ર૦થી વધુ ફલોટ જોડાયા હતા. શોભાયાત્રાના રૂટ દરમ્યાન વિવિધ સ્વૈચ્છીક સંસથાઓ દ્વારા ઠંડાપીણાના આયોજન કરેલા હતાં. શોભાયાત્રામાં એકથી પાંચ નંબર મેળવનાર વિશ્વ હિન્દુ પરિષદ અનેક સંસ્થાઓ દ્વારા શીલ્ડ, ઇનામ, રોકડ પુરસ્કાર આપવામાં આવેલ હતાં. આ શોભાયાત્રાને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : પ્રશાંત રૂપારેલીયા-માણાવદર)

(11:47 am IST)