Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઉપલેટા-ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ લાલબાપુ જુનાગઢના પૂ. કાશ્મીરીબાપુની મુલાકાતે

જુનાગઢ : ભવનાથના આમકુબીટ જંગલ વિસ્તારમાં આવેલ પૂ. કાશ્મીરી બાપુના દાતારેશ્વર આશ્રમની ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત શ્રી લાલબાપુએ મુલાકાત લીધી હતી સાથે શ્રી રાજુ ભગત શ્રી દેવભગત પણ જોડાયા હતાં. આ તકે પૂ. કાશ્મીરીબાપુ અને પૂ. લાલબાપુ બન્ને સંતોનું અદ્ભૂત મિલન થયું હતું. ઉપરોકત તસ્વીરમાં કાશ્મીરીની બાપુને સાલ ઓઢાડી સન્માન કરતા લાલબાપુ તેમજ આશ્રમની વિવિધ સેવાકીય પ્રવૃતિ અંગે માહિતી આપતા જીતુભાઇ પંડયા વગેરે નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:43 am IST)