Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

રાજુલાના કુંભારીયાની સીમમાં હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દીધી

લાઠીના આંબરડીમાં ઇરાદાપૂર્વક ગોઠવેલા વિજ વાયરને અડી જતા મજૂરનું મોત

અમરેલી તા. ૧પ :.. રાજૂલાના કુંભારીયાની સીમમાં યુવાનની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી કુવામાં ફેકી દીધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે.

આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, રાજુલાના કુંભારીયામાં રહેતા ચેતન છનાભાઇ સોલંકીના મોટા ભાઇ ભીખા છનાભાઇની ગત તા. ૧૦ ના સીમમાં માથામાં કોઇ અજાણ્યા શખ્સોએ બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી કુવામાં ફેકી દઇ પુરાવાનો નાશ કર્યાની ફરીયાદ રાજૂલા પોલીસમાં નોંધાતા પોલીસે હત્યારા કોણ ? હત્યા પાછળનું  કારણ શું સહિત જીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

લાઠીના આંબરડીમાં રહેતા ઘનશ્યામ વાલા ટીંબડીયા, છગન વાલા, હરી વાલા, નામના શખ્સોએ પોતાની વાડીમાં જાનબાઇ દેરડીની સીમમાં ઇરાદાપૂર્વક વાડી ફરતે વિજ શોક ગોઠવેલ તેને અડી જતા એક મજૂરનું મૃત્યુ નિપજતા તમામ સામે ઇરાદા પૂર્વક મોત નિપજાયાની ફરીયાદ લાઠી પોલીસમાં થવા પામી હતી.

બગસરાના શાપરનાં વિદેશી  દારૂની હેરાફેરી

બગસરાના સાપરમાં પોલીસે રેડ પાડી રોહીત વિનુ વેકરીયા સહિત બેને વિદેશી દારૂની બોટલ નંગ ૩૬૯પ ત્રણ ફોર વ્હીલ ટ્રેકટર મળી કુલ કિ. રૂ. રર,૦૪,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

ચક્કરગઢમાં ભુલથી એસીડ પી જતા મોત

અમરેલીના ચક્કરગઢમાં રહેતી નંદનીબેન ચંદ્રકાંતભાઇ દાસોડીયા ભુલથી એસીડ પી જતા  તેનું મોત નિપજયું હતું.

(1:04 pm IST)