Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

જામકંડોરણાના પીપળીયા માલજીભી ગામે તળાવનો પાળો કોઈએ તોડી નાખતા અડધુ તળાવ ખાલી થઈ ગયું

જામકંડોરણાઃ જામકંડોરણા તાલુકાના પીપળીયા માલજીભી ગામની સીમમાં આવેલ જીવણ કાંઠાનો હનુમાન તળાવનો કાઢીયાનો પાળો કોઈકે તોડી નાખતા આ તળાવ અડધુ થઈ ગયુ છેઃ રાજપરા, પીપળીયા માલજીભી, પીપળીયા એજન્સી અને દડવી ગામની સીમ માટે આ તળાવ જીવાદોરી સમાન હતું: આ બનાવ અંગે ગ્રામજનોએ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે

(4:22 pm IST)