Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

જામનગર મહાનગર પાલિકા દ્વારા ૭૨ માં સ્વાતંત્ર્ય દિન નિમિતે મેયર હસમુખભાઈ જેઠવાનાં હસ્તે કરાયું ધ્વજવંદન!

મ્યુનીસીપલ કમિશ્નર રણજીતસિંહ બારડ, ચેરમેન સુભાષ જોશી મહાનગર પાલિકાના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત

જામનગર :  જામનગર મહાનગર પાલિકા દ્વારા મેયરના હસ્તે શહેર કક્ષાનો ધ્વજવંદન કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર મહાનગર પાલિકા દ્વારા ૭૨ માં સ્વાતંત્ર્ય દિન નિમિતે મેયર હસમુખભાઈ જેઠવાનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગર શહેરનાં રામેશ્વર મંદિર ચોક નવાગામ ખાતે મેયર હસમુખભાઈ જેઠવાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ ત્યારબાદ તેમણે લોકો સમક્ષ સરકારની વિકાસ ગાથા વર્ણવી હતી.

આ પ્રસંગે મેયર હસમુખભાઈ જેઠવા, મ્યુનીસીપલ કમિશ્નર રણજીતસિંહ બારડ, ચેરમેન સુભાષ જોશી મહાનગર પાલિકાના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:45 pm IST)