Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ગોંડલમાં પૂ. હીરાબાઇ મ. ની નિશ્રામાં નગરપાલિકા પ્રમુખ તથા ટીમનું સન્‍માન

રાજકોટ તા. ૧૫ : ગોંડલ સૅપ્રદાયના શાસન ચંદ્રિકાબા બ્ર. પૂ. ગુરૂણીશ્રી  હીરાબાઇ મ. બા.બ્ર પૂ. જયોતિબાઇ મ. બેન સ્‍વામીબા  બ્ર. પૂ સ્‍મિતાબાઇ મ. આદિ સતી વૃંદની પાવન નિશ્રામાં ગોંડલના ધારાસભ્‍ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા, ગોંડલના પાંચેય જૈન સંઘો સહ વિશાળ જનસમુદાયની પાવન ઉપસ્‍થિતીમાં ગોંડલ નગરપાલિકાના નવા ચુંટાયેલા પ્રમુખ શ્રી અશોકભાઇ બી. પીપળીયા, ઉપપ્રમુખ શ્રી અપર્ણાબેન જિતુભાઇ આચાર્ય સહ સમગ્ર ટીમનું જાજરમાન સન્‍માન કરવામાં આવેલ.

સવારે ૭.૩૦ થી ૮.૩૦ બ્રા.શ્રી પૂ.  સ્‍મિતાબાઇ        મ. આત્‍મધર્મ સાથે કર્મની કરામત વિશે સુંદર પ્રવચન ફરમાવેલ. ગીતાબાઇ અશોકભાઇ તથા અર્પણાબેન ને આર્શીવચન ફરમાવતા કહ્યું કે સંતોના આશીષ એક એવું બળ છે જે તમામ ધાર્યા કાર્યો પાર પાડે છે. ગોંડલના વિકાસમાં તમો સહુ તમારૂ તન-મન-ધનનું યોગદાન આપતા રહો અને તમારી કાર્યસુઝ સાથે સંપ સંગઠન એકતા દ્વારા ગોંડલની તમામ પ્રજા સુખી બની રહે પ્રજાના સુખ ચેનમાં તમો શુભ નિમિત બની મહારાજાશ્રી ભગવતસિંહજી ના આદર્શોને ચરિતાર્થ કરો એવા આશિષ આપેલ.

ગોંડલ નેવાગઢ સ્‍થા. જૈન સંઘના પ્રમુખશ્રી પ્રવિણભાઇ કોઠારીએ ગોંડલના સમસ્‍ત જૈન સમાજ તથા સંપ્રદાય વતી શબ્‍દોમાં શુભેચ્‍છા અર્પણ કરી આ પ્રસંગે તેઓને સન્‍માનપત્ર અર્પણ કરવા માટે જપ તપ ની પ્રેરણા અર્પતા ભગવાન મહાવીરસ્‍વામી નમઃ સવા બે લાખ જાપ તથા ૧૫૧ આયબીલ આરાધનાનો  લાભ શારદાબેન મુકેશભાઇ દોશી, દક્ષાબેન શાહ, દર્શનાબેન કોરડીયાએ લઇ સન્‍માન કરેલ.ગોંડલના પાંચેય સંઘો તથા ગાદીપતી પૂ. ગુરૂદેવ ગિીરીશમુની મા. પ્રેરીત શ્રી સંસ્‍કાર જૈન વિદ્યાલય દ્વારા અશોકભાઇ, અર્પણાબેન નું વિશિષ્‍ઠ સન્‍માનકરવામાં આવેલ પૂ. ગુરૂણી હીરાબાઇ મ. ની પાવન નિશ્રામાં અનેક ધર્મ કાર્યો ખુબ સારી રીતે સંપન્ન થયા સમસ્‍ત ગોંડલ જૈન સમાજે પૂ. ગુરૂણી ભગવંતોને સ્‍થીરદ્વારા ચાતુર્માસ તથા ચૈત્રમાસ આયંબીલ ઓળીની અત્‍યંત જોરદાર વિનંતી કરતા પૂ. ગુરૂણીશ્રીએ ચૈત્રી ઓળીની  દ્રવ્‍ય-ક્ષેત્ર-કાળ-ભાવ મર્યાદા સહ સ્‍વીકૃતિ આપેલ.

કાર્યક્રમ પૂર્ણ થયે શ્રીનવાગઢ સંઘ તરફથી લાડુની પ્રભાવના તથા દિલીપભાઇ મહેતા, દિલીપભાઇ શેઠ તરફથી નવકારશીનો લાભ ભાઇઓ બહેનોએ લીધેલ

(12:18 pm IST)