Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ગોહિલવાડમાં બે અકસ્માત : બેના મોત

ભાવનગર, તા. ૧૪ : ભાવનગર પંથકમાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત નિપજયા છે.

વિગતો મુજબ ભાવનગરના પાલીતાણા તાલુકાના કુંભણ ગામે રહેતા ગોપાલભાઇ દીયાળભાઇ નારોલા તેના બાઇક નં. જીજે૦૪-બીકયુ ૮૪૮૪ લઇ ભાવનગરના નારી ચોકડી નજીકથી પસાર થતાં હતાં ત્યારે ટ્રક નં.જીજે-૦૮-વાય-૬૧૬૧ સાથે ધડાકાભેર અથડતા ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયું હતું. આ અંગે વરતેજ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

જયારે બીજા અકસ્માતમાં બોટાદના ગઢડા રોડ પર પૂરઝડપે જતી મોટર કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા એકનું મોત નિપજયુ઼ હતું અને પાંચને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે.

(11:50 am IST)