Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

જેતપુરના પાંચપીપળામાં મચ્છીની જાળ મામલે સુરેશ પર હુમલો

રાજકોટ તા. ૧૪: જેતપુરના પાંચપીપળા ગામે રહેતાં સુરેશ હેમુભાઇ સોલંકી (ઉ.૩૦)ને ઘર પાસે સાંજે આઠેક વાગ્યે કાનભાઇના પુત્ર, રમેશના પુત્ર તથા બીજા અજાણ્યા શખ્સોએ ઢીકા-પાટુનો બેફામ માર મારતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સુરેશ ખેત મજૂરી કરવા ઉપરાંત હુમલાખોરો સાથે ભાગીદારીમાં માછીમારી પણ કરે છે. માછીમારીની જાળ ખોવાઇ ગઇ હોઇ તેના પૈસાના ભાગ મામલે માથાકુટ થતાં હુમલો કરવામાં આવ્યો હતો. જેતપુર પોલીસને આ અંગે ચોકીના એએઅસાઇ જગુભા ઝાલા અને રામજીભાઇએ જાણ કરી હતી.

(11:45 am IST)