Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

જામનગરમાં વિકટોરીયા પુલ પાસે બાઇક સ્લીપ થતાં મહિપતસિંહ જાડેજાનું મોત

રાજકોટ તા. ૧૪: જામનગરમાં બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા થતાં ક્ષત્રિય આધેડનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ જામનગર રામેશ્વર સોસાયટી કે. પી. શાહની વાડી પાસે રહેતાં મહિપતસિંહ હેમુભા જાડેજા (ઉ.૪૫) ગઇકાલે પોતાનું બાઇક હંકારીને વિકટોરીયા પુલ પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ મોડી રાત્રે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ પી.એન. ત્રિવેદીએ જરૂરી કાર્યવાહી કરી કાગળો જામનગર પોલીસને મોકલવા તજવીજ કરી હતી.

(12:41 pm IST)