Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

માળીયામિંયાણા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં નાહરીયાભાઇ સીંગાલાનું મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૩: માળિયા મિંયાણાના ખીરઈ ગામના પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે રોડ ક્રોસ કરતા યુવાનને હડફ્ેટે લેતા તેનું મૃત્યુ નીપજયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક નાશી ગયો હોવાની ફ્રિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે.
મળતી માહિત મુજબ મોરબીના નાગડાવાસના પાટિયા નજીક રહેતા અને મૂળ એમપીના વતની અર્જુનભાઈ લાભુભાઈ ગણાવા (ઉં.૧૯) એ માળિયા પોલીસમાં ફ્રિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને ખીરઈ  ગામના પાટિયા નજીક અર્જુનભાઈના બનેવી નાહરીયાભાઈ મેસુભાઈ સીંગાલા (ઉં.૪૦) રહે-હાલ નાગડાવાસ પાટિયા નજીક અને મૂળ એમપી વાળા રોડ ક્રોસ કરતા હોય દરમિયાન પાછળથી આવી હડફ્ેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નીપજયું હોવાની ફ્રિયાદ નોંધાવી છે. માળિયા પોલીસે ફ્રિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(11:35 am IST)