Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ખંભાળીયાના હાલાર તીર્થ આરાધના ધામમાં પર્યુષણ પર્વની ભાવભેર ઉજવણી

પ્રભુ મહાવીર જન્મવાંચન તથા ચોૈદ સ્વપ્નની ઉછામણીમાં ભાવીકોએ લાભ લીધો

રાજકોટ તા ૧૨ : હાલાર ના લાડીલા પ.પૂ.પં.શ્રી વજ્રમેન વિજયજી મ.આ. તથા પ.પૂ.આ. શ્રી હેમપ્રભસુરીશ્વરજી મ.આ. ની પ્રેરણાથી હાલાર તીર્થમાં દરવર્ષે પર્યુષણ ની ઉજવણી થાય છે. સોમવારે પ્રભુશ્રી મહાવીર સ્વામીના જન્મ નું વાંચન થયું હતું અને ખુબજ ભાવભેર જન્મના વધામણાં થયા હતા. માતા ત્રિશલાદેવી ને આવેલાં ચોૈદ સ્વપ્ન ની ઉછામણી ખુબજ સારા પ્રમાણમાં થયેલી તેમજ જીવદયા ફંડમાં ઉપજ થઇ હતી. સંસ્થા તરફથી પ્રભાવના રાખેલી તેમજ સ્ટાફ પરીવાર તરફથી સંઘપૂજન કર્યુ હતનું

જામનગરથી રમેેશભાઇ સાવલા પધારેલ હતા તથા રીલાયન્સ ટાઉનશીપથી સંજયભાઇ કોઠારી તથા જૈન સ્ટાફ પરીવાર ખુબજ સારી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન મહાવીરનું જીવન વાંચન કરી ભાવભેર ઉજવણી કરવામાંં આવેલી

પર્યુષણ પર્વે દરરોજ દેરાસરજી માં રોશની ભવ્ય આંગી દર્શન, પુજા-ભાવના જેવા ભકિત પૂર્વક કાર્યક્રમો થાય છે. (૩.૫)

(12:31 pm IST)