Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

જુનાગઢ પાસે ખુંટીયાએ માથુ મારતા વિજાપુરના યુવાનનું કરૂણ મોત

મૃતક શાકભાજી લેવા દોલતપરા જતા'તા

જુનાગઢ તા.૧ર : જુનાગઢ તાલુકાના વિજાપુર ગામના કિશોરભાઇ કાંતીભાઇ વરૂ (ઉ.વ.૩પ) નામનો કડીયા કુંભાર યુવાન ગઇકાલે સવારના તેમના મોટર સાયકલ પર બેસી જુનાગઢના દોલતપરા સ્થિત માર્કેટીંગ યાર્ડ ખાતે શાકભાજી લેવા જતાં હતા.

ત્યારે જુનાગઢ પાસે બીલખા રોડ પર આવેલ વીજ સબ સ્ટેશન પાસે ખુંટીયાએ માથુ મારતા કિશોરભાઇ મોટર સાયકલ પરથી ફંગોળાય ગયા હતા.

આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી આ યુવકનું મૃત્યુ થતા ગમગીની વ્યાપી ગઇ હતી.

(1:29 pm IST)