Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

જુનાગઢ મ.ન.પા. ટકાવારી કૌભાંડની તપાસ અમરેલી એસીબીને કરવા આદેશ

બીલ પાસની ટકાવારીનો ઓડિયો વાયરલ થયેલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧ર : જુનાગઢ મ.ન.પા.ટકાવારી કૌભાંડની તપાસ જુનાગઢ સેસન્સ કોર્ટે અમરેલી એસીપીને કરવા અને ૩૦ દિવસમાં ઇન્કવાયરી રિપોર્ટ રજુ કરવાનો આદેશ કરતા હલચલ ચમી ગઇ છે.

જુનાગઢના જાગૃત નાગરીક જીજ્ઞેશભાઇ પંડયાએ જુનાગઢ કોર્પોરેશનમાં કોન્ટ્રાકરના બિલમાં ટકાવારી લેવાતી હોવાનો ઓડિયો વાયરલ થયેલ જેમાં તે સમયના કમિશ્નર વી.જે. રાજપુત સહિતના અધિકારીઓ  સામે જુનાગઢ એસીબીમાં અરજી કરેલ પરંતુ કોઇ કાર્યવાહી ન થતા શ્રી પંડયાએ જુનાગઢ સેસન્સ કોર્ટે લેખિત દલીલ તેમજ રજુ થયેલ ચુકાદાઓ ધ્યાને લઇ અરજીને ફોજદારી ઇન્કવાયરી રજીસ્ટરે લેવાનોહુકમ કર્યો હતો.

ગઇકાલના આ હુકમ સામે અદાલતે અમરેલી એસીબીના પી.આઇ.ને તપાસનો આદેશ કરી ૩૦ દિવસમાં ઇન્કવાયરી રિપોર્ટ કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે.

(12:48 pm IST)