Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જામનગરથી શ્રમિકોને લઇને છઠ્ઠી ટ્રેન રવાના

 જામનગર : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્‍થિતિમાં રાજય સરકાર દ્વારા રાજયના વિવિધ વિસ્‍તારોમાં કામ કરતા પરપ્રાંતીય શ્રમિકોને બસ અને હાલ ટ્રેન દ્વારા પોતાના વતન પહોંચવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે.  જામનગર જિલ્લામાં પણ દરેડ, જામનગર શહેર સહિતના અન્‍ય વિસ્‍તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર અને પમિ રેલ્‍વે મેનેજમેન્‍ટ દ્વારા આજરોજ જામનગર રેલ્‍વે જંકશન ખાતેથી આજે અંદાજે ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના ગાઝીપુર  ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્‍યવસ્‍થા કરી આપવામાં આવી છે. જામનગરના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ જામનગરથી ઉત્તરપ્રદેશ માટે છઠ્ઠી ટ્રેન મોકલવામાં આવી રહી છે. હાલ સુધીમાં જામનગરથી કુલ પાંચ ટ્રેનો શ્રમિકોને લઇને રવાના થઇ ચૂકી છે. જેમાં ૪ ટ્રેનો ઉત્તરપ્રદેશ માટે અને ૧ ટ્રેન બિહાર માટેની હતી.

(1:58 pm IST)