Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ચોટીલાના ભીમગઢમાં પાણી સીંચતી વખતે કૂવામાં પડી જતાં મનુબેનનું મોત

કોળી પરિણીતાએ રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૧૨: ચોટીલાના ભીમગઢમાં રહેતી મનુબેન જયસુખ માલકીયા (ઉ.વ.૨૫) નામની કોળી પરિણીતાનું કૂવામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું છે.

મનુબેનને ગઇકાલે બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં   ખસેડાઇ હતી. અહિ તેનું રાત્રીના મોત નિપજ્યું હતું. પરિવારજનોના કહેવા મુજબ કૂવામાંથી પાણી સીંચતી વખતે અકસ્માતે તેણી અંદર પડી ગઇ હતી. બહાર કાઢી પ્રથમ ચોટીલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણીએ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ ખેત મજૂરી કરે છે અને માવતર કાંધાસર ગામે રહે છે. ચોટીલા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:06 pm IST)