Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ખાંભાના નાનુડી ગામની સીમમાં સિંહણનુ મોત વૃદ્ધાવસ્થાના કારણે થયાનુ પ્રાથમિક તારણ

અમરેલી તા. ૧૨: તાલુકાના નાનડુડી ગામની સીમમાં એક ૧૩ વર્ષની ઉંમરની સિંહણનું મોત થયુ હતું. સિંહણના મોતની આ ઘટના તુલસીશ્યામ રેંજના પીપળવા રાઉન્ડમાં મિતીયાળા અભ્યારણ્યની બોર્ડર પર આવેલા નાનુડી ગામની સીમમાં બની હતી.

બનાવની જાણ થતા સ્થાનિક  અધીકારીઓ  અને કર્મચારીઓ  ઘટના સ્થળે  દોડી ગયા હતા. આસપાસના વિસ્તારમાં વનતંત્રને કશું શંકાસ્પદ જણાયુ ન હતું.  જો કે પોસ્ટમોર્ટમ માટે સિંહણનો મૃતદેહ કબજે લેવાયો હતો. વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે સિહણનું મોત  વૃદ્ધાવસ્થાના કારણે થયુ હતું.

(12:05 pm IST)