Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

ધોરાજીના નગરસેવીકાની યશસ્વી કામગીરી

ધોરાજી : તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની લડાઇ દરમિયાન બહારગામથી ધોરાજી આવતા લોકોને સરકારની ગાઇડ લાઇન મુજબની જાણકારી મેળવીને વોર્ડનં.પના જાગૃત નગરસેવીકા જાગૃતિબેન રાજયગુરૂએ બહારથી આવેલા લોકો બ્લોક હેલ્થ ઓફીસર ડો.પુનીત વાછાણીને જાણ કરતા તાત્કાલીક તેની ટીમના મુકુંદ સાવલીયા, જયદીપ મારૂ, દેવાંગ ગોહિલ, હંસાબેન સીસોદીયા, જીગીસા બગડા તાત્કાલીક સ્થળ પર વીઝીટ કરી લોકોને યોગ્ય માર્ગદર્શન આપેલ હતુ. નગરસેવીકા જાગૃતિબેન રાજયગુરૂની કામગીરીને લોકોએ આવકારેલ હતી.

(12:02 pm IST)